વડોદરામાં ભાજપ દ્વારા સામાજીક સંવાદ કાર્યક્રમ યોજાઇ ગયો
વડોદરામાં ભાજપ દ્વારા સામાજીક સંવાદ કાર્યક્રમ યોજાઇ ગયો.
વડોદરાના ગોત્રી કંચનલાલના ભઠ્ઠા સામે આવેલા એસ ટી કોલોની રોડ નજીક ભાજપ દ્વારા સામાજીક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરાના ગોત્રી કંચનલાલના ભઠ્ઠા સામે આવેલા એસ ટી કોલોમી રોડ ખાતે વડોદરા મહાનગર અનુ.જાતિ મોરચા નો સામાજિક સંવાદ કાર્યેક્મ વડોદરા ભાજપા શહેર પ્રમુખ ડો વિજયભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ અનુ જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ પરમારની આગેવાનીમાં યોજાયો હતો બાબા સાહેબને સન્માન આપવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યું હોવાનું લોકસભાની ચુંટણીના પ્રચારક અનુ. જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડીયાએ જણાવ્યું હતું. મોરચાના મહામંત્રી દેવન વર્મા અને અકોટા ના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પ્રજાજનોને સંબોધન કર્યું હતું મોરચાના પ્રમુખ હર્ષદ વકીલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં વડોદરા શહેર પ્રભારી મુકેશ શ્રીમાળી, કાઉન્સિલરો તેમજ અનુ જાતિ મોરચા શહેર સંગઠન ટીમ અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.