MEHSANA : નંદાસણ છત્રાલ રોડ પર ગાડીની ટક્કરે ૩ના મોત

નંદાસણ હાઇવે ઉપર આવેલા બિલેશ્વરપુરા પાટિયા નજીક અકસ્માત થયો હતો.

ત્રણ રાહદારીઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. જે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી શિફ્ટ ગાડીએ ધડાકા ભેર ટક્કર મારી હતી.

જ્યાં ત્રણેય જણા રોડ ઉપર પછડાયા હતા અને ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.

અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા અને કલોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાસ્થળે પોલીસ આવીને કાર્યવાહી કરી હતી.

ત્રણેય રાહદારીઓ જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની હોવાનું બહાર આવ્યું છે.