THARAD: 21 મીના રોજ ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાન અંતર્ગત બાગાયતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી વિષય પર એક દિવસીય ખેડૂત શિબિરનું થરાદ તાલુકાના ચાંગડા ગામે પ્રાકૃતિક ખેતીનું મોડલ ફાર્મ ધરાવતા ખેડૂત ચેલાભાઈ કાસનાભાઈ પટેલના ત્યાં કરવામાં આવેલ હતું, જેમાં 150 થી વધુ ખેડૂતભાઈ અને બહેનોએ ઉત્સાહભેર લાભ લીધો હતો, કાર્યક્રમમાં શ્રીમતી અનન્યાબેન જોષી, મદદનીશ બાગાયત નિયામક દ્વારા ગ્રો મોર ફ્રૂટ અભિયાન વિષે માહિતી આપવામાં આવી અને ખેડૂતોને વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!ડૉ.ચંપકભાઈ જોષી કૃષિ વૈજ્ઞાનિક સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાએ ખારેક અને અન્ય બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી, બાગાયત અધિકારી વેલજીભાઈ દેસાઈએ બાગાયતી યોજનાઓ અને નવીન આઈ ખેડૂત પોર્ટલ વિષે માહિતી આપી હતી અને પ્રકાશભાઈ બી.ટી.એમ. આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ 5 આયામો વિષે માહિતી આપવામાં આવી હતી.
ભેમાભાઈ પટેલ વિસ્તરણ અધિકારી ખેતી દ્વારા વિવિધ ખેતીવાડી યોજનાઓ વિષે માહિતી આપવામાં આવી હતી તેમજ બાગાયત અધિકારી મહાદેવભાઈ ચૌધરી અને નિકુંજભાઈ જોષી દ્વારા ખેડૂતોને ફિલ્ડ વિઝિટ કરાવી અને બાગાયતી પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપવામાં આવી હતી. દિનેશભાઈ પ્રજાપતિ બાગાયત અધિકારી થરાદ દ્વારા સ્થાનિક પ્રશ્ર્નોની ચર્ચા કરી આભાર વિધિ કરાઈ હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ