Business: ગઇકાલની તીવ્ર મંદી બાદ આજે ભારતીય શેરબજારમાં નીચા સ્તરે ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટના પોઝિટિવ શરૂઆત બાદ 835 પોઈન્ટ ચડી 82000ના સ્તર પાર પહોંચ્યો. સવારે 10.45 વાગે તે 746.78 પોઈન્ટના ઉછાળે 81933.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં વ્યાપક બુલિશ રૂખના કારણે રોકાણકારોની કુલ મૂડીમાં અંદાજે રૂ. 4 લાખ કરોડનો વધારો થયો છે.
નિફ્ટી ફરી 25000ની નજીક
છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 25000નું લેવલ ગુમાવ્યા બાદ નિફ્ટીમાં આજે ફરી તેજી નોંધાઈ છે. સવારે 10.46 વાગે તે 228.50 પોઈન્ટ ઉછળી 24915.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 400 પોઈન્ટના મજબૂત ઉછાળે છે. વિદેશી વેચવાલી વચ્ચે સ્થાનિક સંસ્થાઓએ આક્રમક ખરીદી કરી બુલને સપોર્ટ આપ્યો છે.
વિશ્વવ્યાપી પડકારો વચ્ચે ભારતીય બજાર મજબૂત
જિયો પોલિટિકલ તણાવ, ક્રૂડના ભાવમાં તેજી અને FII વેચવાલી વચ્ચે ભારતીય બજાર આજે સંભળતાં જોવા મળ્યા છે. છેલ્લા બે સેશનમાં વિદેશી રોકાણકારોએ રૂ. 10,542 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે ગઈકાલે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 6,738 કરોડની ખરીદી કરી હતી.
બજારના સુધારાનું મુખ્ય કારણ શું?
Jજેપી મોર્ગને દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ અનુસાર ભારતનું અર્થતંત્ર વૈશ્વિક અનિશ્ચિતતા છતાં મજબૂત વૃદ્ધિ સાથે આગળ વધે એવી ધારણા છે. સ્થાનિક સ્તરે ગ્રોથ પોઝિટિવ રહેવાની અને ફુગાવા નિયંત્રણમાં રહેવાની અપેક્ષા છે. બજાર નીચે આવ્યા બાદ રોકાણકારોનું ધ્યાન ફરીથી ખરીદી તરફ વળ્યું છે, ખાસ કરીને મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં 1% સુધીનો ઉછાળો નોંધાયો છે.