ઓમ જવેલર્સમાં લૂંટ,10 લાખ સટ્ટામાં હાર્યા બાદ યુવકે પ્લાન બનવ્યો

Robbery in Om Jewellers, youth hatched a plan after losing Rs 10 lakh in betting

3 Min Read

CRIME: વાગરા શહેરના બજાર વિસ્તારમાં આવેલી “ઓમ જવેલર્સ” દુકાનમાં ધોળા દિવસે થયેલી લૂંટના ગુનાઓને ચમકતી ઝડપે ઉકેલી પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી રાકેશ જશુભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૩૦), વતની આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના હોવાનું બહાર થયો છે. આરોપી સામે આરોપ છે કે તેણે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટામાં દશ લાખ રૂપિયા ગુમાવ્યા બાદ પૈસા ઊપજાવવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

19મી મે, સોમવારના બપોરે લગભગ 1:13 વાગ્યે એક અજાણ્યો યુવક બુકાની ધારણ કરીને “ઓમ જવેલર્સ” દુકાનમાં પ્રવેશ્યો. સોનાના દાગીના જોવા માંગતાં દુકાનદારે તેને દાગીના બતાવ્યા, ત્યારબાદ આરોપીએ ટેબલ પરથી દાગીના ઉપાડી અને સોનીની આંખોમાં મરચું પાવડર ફેંકી દુકાનમાંથી ફરાર થઈ ગયો. અંદાજે રૂ. 4.35 લાખના દાગીના, મોબાઈલ અને મોટરસાઈકલ લઈને આરોપી રફુચક્કર થઈ ગયો હતો.

વાગરા PI S.D ફુલતરિયા અને તેમની ટીમે ઘટના બાદ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજનું વિશ્લેષણ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસને આગળ ધપાવી હતી. આ પ્રયાસો પગલે પોલીસને ગણતરીના કલાકોમાં જ રોઝા ટંકારીયા ગામમાંથી આરોપી રાકેશ પ્રજાપતિને ઝડપી પાડવામાં સફળતા મળી. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત આપી હતી. આરોપી રાકેશ પ્રજાપતિએ કબૂલાત આપી હતી કે તે કંપનીમાં નોકરી કરે છે અને ઓનલાઈન ગેમિંગ તથા સટ્ટામાં દશ લાખ જેટલા રૂપિયા ગુમાવ્યા હતા. આ નુકશાન ભરપાઈ કરવા તેણે લૂંટની યોજના ઘડી હતી. તે ગ્રાહકના રૂપમાં દુકાનમાં પ્રવેશ્યો અને દાગીના લઈને મરચું ફેંકી નાસી ગયો હતો.

મુદ્દામાલ જપ્ત અને આરોપીની ધરપકડ

પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલા તમામ દાગીના (અંદાજે 3.65 લાખ), મોબાઈલ ફોન અને મોટરસાઈકલ મળી કુલ 4.35 લાખ રૂપિયાનું મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ સમગ્ર ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરીને કેસને વધુ મજબૂત બનાવાયો છે.

CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું કે આરોપી બુકાની ધારણ કરીને દુકાનમાં પ્રવેશ કરે છે. છતાં પણ દુકાનદારે તેની ઓળખ વિશે તપાસ ન કરી. એટલું જ નહીં, દુકાનદાર પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોવાથી આરોપી સહેલાઈથી દાગીના લઇ પલાયન થયો. વ્યાપારીઓ માટે આ ઘટના ચેતવણીરૂપ છે.

જંબુસર DySP PL ચૌધરીએ પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી અને વેપારીઓને સતર્ક રહેવા, દુકાનોમાં CCTV કેમેરા લગાવવા, શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. માસ્ક, હેલ્મેટ અથવા મોઢા ઢાંકીને આવતા ગ્રાહકોને ઓળખપત્ર માંગવાની સલાહ પણ આપી હતી. આ ઘટના દર્શાવે છે કે ટેક્નોલોજીના દુરુપયોગ અને જુગારના વ્યસનથી સમાજમાં કેટલાં ગંભીર અપરાધો જન્મ લઈ શકે છે. રાકેશ જેવા યુવાનો માટે આવું ષડયંત્ર માર્ગ નહિ, પણ જીવન બગાડવાનો માર્ગ સાબિત થાય છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03