હવે રેલવે સ્ટેશનો પર મેટ્રો જેવી સુરક્ષા, ટિકિટ વિના પ્રવેશ નહીં

Now Metro-like security at railway stations, No entry without a ticket

2 Min Read

India: હાલમાં રેલવે સ્ટેશનો પર કોઈપણ વ્યક્તિ સરળતાથી પ્રવેશી શકે છે. હવે, મહત્વના રેલવે સ્ટેશનો પર મેટ્રો જેવી એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે, જેમાં મુસાફર માત્ર ટિકિટ સ્કેન કર્યા બાદ જ સ્ટેશનમાં પ્રવેશી શકશે. મુંબઈ અને ગુજરાતના 12 મહત્વના સ્ટેશનો માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

મુંબઈના કયા સ્ટેશનો સામેલ છે?

  • બોરીવલી, અંધેરી અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
  • બોરીવલી અને બાંદ્રા ટર્મિનસ પરથી ગુજરાત તરફ આવતી-જતી ટ્રેનો પસાર થાય છે.
  • અંધેરી સ્ટેશન મુંબઈની વેસ્ટર્ન લાઈનનું મહત્વનું લોકલ ટ્રેન મથક છે અને અહીંથી મેટ્રો સેવા માટે ઈન્ટરચેન્જની સુવિધા પણ છે.

ગુજરાતના કયા સ્ટેશનો સામેલ છે?

  • અમદાવાદનું કાલુપુર સ્ટેશન, અસારવા, સાબરમતી, વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે.
  • વડોદરા ગુજરાતનું સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે.
  • મઘ્યપ્રદેશના ઉજ્જૈન સ્ટેશનને પણ આ સૂચિમાં સામેલ કરાયું છે.

રેલવે દ્વારા દેશભરના અનેક સ્ટેશનોનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં, એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમથી માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ સ્ટેશનમાં પ્રવેશ મળશે. આથી, પ્લેટફોર્મ પરની ભીડ ઘટશે અને સલામતી તથા સફાઈ જાળવવામાં સહાય મળશે. અગાઉ, ભીડના કારણે ભાગદોડની ઘટનાઓ થતાં રેલવે દ્વારા ક્યારેક પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરવું પડતું હતું, પરંતુ નવી સિસ્ટમથી આવું કરવું નહીં પડે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ યોજના હજુ પ્રારંભિક તબક્કે છે અને રેલવે બોર્ડની મંજૂરી બાદ સ્ટેશનો પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલાશે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર ટિકિટ સ્કેનર્સ લગાવવામાં આવશે, જેથી મુસાફરોને માત્ર ટિકિટ સ્કેન કર્યા બાદ જ અંદર પ્રવેશ મળશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03