gujarat: જોધપુર થી સુરત જતી બસમાં 14 મુસાફરોને ઇજા, ચાલક ફરાર. સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે મોડી રાત્રે જોધપુર થી સુરત જતી લક્ઝરી બસ પલટી ખાઇ હતી. આ અકસ્માતમાં બસના 14 મુસાફરોને ઈજા પહોંચી છે.
Thank you for reading this post, don't forget to subscribe!
ઘટનાની વિગત મુજબ, બસના ચાલકે આગળ જઈ રહી સ્વિફ્ટ કારને બચાવવા પ્રયાસ કરતા સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી બસ પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે .અકસ્માત બાદ બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે .
અહેવાલ: પવન યોગી, સિદ્ધપુર