Bhakti Sandesh: હિંદુ કેલેન્ડરના અનુસાર, વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીને “અપરા એકાદશી” તરીકે ઓળખવામાં આવે છે. આ તિથિ વર્ષ 2025માં શુક્રવાર, 23 મેના રોજ આવે છે. આને “અચલા એકાદશી” તરીકે પણ ઓળખવામાં આવે છે. એ હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક મહત્તાવાળી ગણવામાં આવે છે.
Thank you for reading this post, don't forget to subscribe!અપરા એકાદશીનું મહત્વ
અચલા એકાદશીનો અર્થ છે. એવી એકાદશી જે આપણને “અપર” (અનંત) ફળ આપે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા-પાઠ કરીને પાપોથી મુક્તિ મળે છે અને આત્માને શુદ્ધિ મળે છે. બ્રહ્મવિર્વત પુરાણ, પદ્મ પુરાણ અને અન્ય ધર્મગ્રંથોમાં આ એકાદશીનું વિશેષ વર્ણન આવ્યું છે.
પૂજા વિધિ
આ દિવસે ભક્તો સવારે સ્નાન કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરે છે. વિષ્ણુ સાહિત્યનું પઠન, વિશેષ કરીને “વિષ્ણુ સહસ્ત્રનામ” નો જાપ કરવો શુભ માનવામાં આવે છે. ઉપવાસ રાખીને ભક્તો આખો દિવસ ભગવાનમાં લીન રહે છે અને રાત્રિ જાગરણ કરે છે. બીજે દિવસે પરાણે કરીને ઉપવાસ તોડવામાં આવે છે.
અપરા એકાદશીના લાભ
અચલા એકાદશીનું પાલન કરવાથી અનેક આધ્યાત્મિક અને ધાર્મિક લાભ પ્રાપ્ત થાય છે. એ દિવસે ઉપવાસ અને ભક્તિપૂર્વક વિષ્ણુ પૂજા દ્વારા બધા પ્રકારના પાપોનો નાશ થતો હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળેછે. આ તિથિ પિતૃઓની શાંતિ માટે પણ અત્યંત શુભ માનવામાં આવે છે અને શ્રાદ્ધ જેમ પિતૃ તૃપ્તિ માટે ફળદાયી ગણાય છે. જે વ્યક્તિ શ્રદ્ધા અને નિષ્ઠાથી આ એકાદશીનું વ્રત કરે છે તેને આત્મશુદ્ધિનો અનોખો અનુભવ થાય છે અને આધ્યાત્મિક ઊંચાઇની દિશામાં પગલા પડે છે.
શાસ્ત્રીય માન્યતા અનુસાર, અચલા એકાદશીનું વ્રત વિષ્ણુપ્રેમી ભક્તોને વૈકુંઠલોકમાં સ્થાન આપનાર હોય છે, એટલે કે મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ દિવસ વેપારીઓ, યોદ્ધાઓ અને પાપમોચન ઇચ્છુક લોકો માટે ખાસ લાભદાયી ગણાય છે. જે લોકો આ દિવસે સત્યનિષ્ઠાથી ઉપવાસ કરે છે અને પૂજા-અર્ચના કરે છે તેઓને જીવનમાં સંતોષ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.