અસામાજીક તત્વોનો આતંક, વિદ્યાનગરમાં મધરાતે કારમાં આગ

Anti-social elements' terror: Car set on fire in Vidyanagar at midnight

2 Min Read

CRIME: ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં ગત મધરાતે અસામાજીક તત્વોએ ત્રાસ મચાવતાં ત્રણ કારમાં આગ લગાડી દીધી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તત્કાલ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગથી ત્રણેય કારને ભારે નુકસાન થયું છે. સમગ્ર ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે અને સ્થાનિક રહિશોએ પોલીસ મથક પર પહોંચીને ફરિયાદ નોંધાવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

પ્રાપ્ત વિગતો અનુસાર, વિદ્યાનગર ખાતે આવેલા વડવા સોસાયટીના નજીકના વિસ્તારમાં કેટલાક નશામાં ચૂર યુવાનો સમયાંતરે જમેલો કરી ઉશ્કેરણીભર્યો વ્યવહાર કરતા હતાં. રહિશોએ તેમની આ હરકતોનો વિરોધ કરતાં ઝઘડો થયો હતો અને નશાખોર તત્વોએ સોસાયટીના બે સભ્યો પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનાથી રોષે ભરાઈ મોડી રાત્રે આ તત્વોએ પાર્ક કરેલી ત્રણ કારમાં આગ લગાવી દીધી હતી અને ફરાર થઈ ગયા હતાં.

ભાવનગર ફાયર બ્રિગેડને રાત્રે 2:50 વાગ્યે ધ્રુવભાઈ નામના નાગરિકે ફોન કરીને માહિતી આપી હતી કે SBI બેંક નજીકના શોપિંગ સેન્ટર પાછળ આવેલી વડવા સોસાયટીના પાર્કિંગમાં ત્રણ કારમાં આગ લાગી છે. તરતજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી. આગ પકડેલી કારોમાં ચિંતનભાઈ શાહની ઈનોવા (GJ-04-EP-0019), જગદિશસિંહ રાણાની હોન્ડા સિટી (GJ-04-AP-8197),અને કુમુદીનીબા રાણાની સેવરોલેટ કાર (GJ-04-AP-3997).નો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિઘ્નકારક તત્વો છેલ્લા બે વર્ષથી સોસાયટીના નજીક નશામાં લિપ્ત રહીને આવારાગીરી કરતા હતાં. સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે આ તંગદિલી આંતકમાં ફેરવાઈ અને એક શખ્સ CCTVમાં કારમાં આગ લગાવતા સ્પષ્ટપણે નજરે પડ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ચાલી રહી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03