Lok Sabha: આજે મંગળવારે, લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભના આયોજન અંગે પોતાના વિચારો રજૂ કર્યા. સંબોધન દરમિયાન, તેમણે આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો. PM મોદીએ મહાકુંભ અંગે શું કહ્યું તે જાણવા માટે વાંચો સંપૂર્ણ વિગતો.
Thank you for reading this post, don't forget to subscribe!વડા પ્રધાન મોદીએ લોકસભામાં મહાકુંભને દેશની અપાર ચેતનાનો પ્રતિક રૂપ ગણાવ્યું. તેમણે તાજેતરમાં પ્રયાગરાજમાં પૂર્ણ થયેલા મહાકુંભને ભારતની સાંસ્કૃતિક મહત્તાનો જીવંત દાખલો ગણાવતાં કહ્યું કે, આ ઇવેન્ટ દરેકના સંયુક્ત પ્રયત્નોનું પ્રતિફળ છે. સંસદમાં સંબોધન દરમિયાન, PM મોદીએ ઉત્તર પ્રદેશ સરકાર અને મહાકુંભને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કરનાર દરેક કર્મયોગીને શુભકામનાઓ પાઠવી.
મહાકુંભ એકતાનું પ્રતીક છે: PM મોદી
PM મોદીએ કહ્યું કે, મોરેશિયસના ગંગા તળાવમાં તેમણે પ્રયાગરાજ ત્રિવેણીથી લેવામાં આવેલ પવિત્ર ગંગા જળ અર્પિત કર્યું હતું. મહાકુંભની દિવ્યતા અને ભારતીય સંસ્કૃતિનો ભાવ સમગ્ર વિશ્વમાં પ્રતિબિંબિત થાય છે અને મોરેશિયસમાં પણ તેનું વિશેષ મહત્વ છે.