By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Nirbhay Marg NewsNirbhay Marg NewsNirbhay Marg News
Notification Show More
Font ResizerAa
  • Home
  • Gujarat
  • India
  • World
  • Sports
  • Entertainment
  • Business
  • Astrology
Reading: ટ્રેનમાં ઘરેલું ખાવાનું લઈ જશો તો થઈ શકે મુશ્કેલી: રેલવે શરૂ કર્યું ખાસ સ્વચ્છતા અભિયાન
Share
Font ResizerAa
Nirbhay Marg NewsNirbhay Marg News
  • Home
  • Gujarat
  • India
  • World
  • Sports
  • Entertainment
  • Business
  • Astrology
Search
  • Home
  • Gujarat
  • India
  • World
  • Sports
  • Entertainment
  • Business
  • Astrology
Follow US
Nirbhay Marg News > Blog > INDIA > ટ્રેનમાં ઘરેલું ખાવાનું લઈ જશો તો થઈ શકે મુશ્કેલી: રેલવે શરૂ કર્યું ખાસ સ્વચ્છતા અભિયાન
INDIA

ટ્રેનમાં ઘરેલું ખાવાનું લઈ જશો તો થઈ શકે મુશ્કેલી: રેલવે શરૂ કર્યું ખાસ સ્વચ્છતા અભિયાન

Nirbhay Marg News
Last updated: October 10, 2025 3:33 pm
Nirbhay Marg News
Published: October 10, 2025
Share
SHARE

નવી દિલ્હી: ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણાં મુસાફરો ઘરેથી બનાવેલું ભોજન લઈને જવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ આઈઆરસીટીસી અથવા સ્ટેશન વેન્ડર પાસેથી ખાવાનું લેતા નથી. પરંતુ હવે આવા મુસાફરોને સાવધાન રહેવું પડશે, કારણ કે જો ભોજન કર્યા બાદ બચેલું ખાવાનું ટ્રેનમાં કે સ્ટેશન પર ફેંકવામાં આવશે, તો ભારે દંડ ભરવો પડી શકે છે.

ભારતીય રેલવે છેલ્લા કેટલાક સમયથી ટ્રેનો અને સ્ટેશનોમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે. ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝનમાં સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધી 5113 મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમણે ગંદકી ફેલાવી હતી અથવા ધૂમ્રપાન કર્યું હતું. આ મુસાફરો પાસેથી કુલ ₹10,26,670નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે .જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાય છે.

અભિયાન દરમિયાન રેલવેને ઘણાં એવા મુસાફરો પણ મળ્યા, જેઓ ઘરેલું ખાવાનું લઈને આવ્યા હતા અને ખાવા પછી બચેલું ખોરાક અથવા પેકિંગ સામગ્રી ટ્રેન કે પ્લેટફોર્મ પર ફેંકી દેતા હતા. આવી હરકતને કારણે ગંદકી ફેલાતી હતી, જેના પર રેલવે સ્ટાફે કડક પગલાં લીધા. કેટલાક મુસાફરો બહાના આપતાં કે દલીલો કરતાં જોવા મળ્યા, છતાં રેલવે દ્વારા સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે દંડની કાર્યવાહી ચાલુ છે.

રેલવેના જણાવ્યા મુજબ, ગંદકીના કારણે સ્ટેશનોની સુંદરતા અને મુસાફરોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ખુલ્લામાં થૂંકવું, ગંદા શૌચાલય, ખોરાકના અવશેષો અને કચરો ફેંકવાથી દુર્ગંધ ફેલાય છે અને સંક્રમણનો ભય પણ રહે છે. આવી હરકતથી રેલવેની છબી ખરાબ થતી હોવાથી રેલવે આ અભિયાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

ભારતીય રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ સ્ટેશન અને ટ્રેનની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે, ખુલ્લામાં થૂંકવું કે ધૂમ્રપાન જેવી આદતો ટાળે. રેલવેના જણાવ્યા મુજબ, આ પ્રકારના સ્વચ્છતા અભિયાનો આગળ પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા પર કડક પગલાં લેવામાં આવશે.

પહેલા જ દિવસે જયસ્વાલની ‘યશસ્વી’ ઇનિંગ: ડબલ સેન્ચુરીની નજીક,કોહલીની બરાબરી પણ કરી
બોઇંગ-787ની તમામ ફ્લાઇટ્સ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ
TAGGED:#india#railway
Share This Article
Facebook Email Print
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Find US on Social Medias
8.4kLike
1kFollow
28.5kFollow
48kSubscribe
Popular News

ધોલેરા હાઈવે પર 2 બસોની ભયાનક ટક્કર,10 ઘાયલ,3ની હાલત ગંભીર હાલતે સારવાર હેઠળ

admin
admin
October 6, 2025
વિસનગરના રાવળાપુરામાં સંડાસ-બાથરૂમની જગ્યા બાબતે ઝઘડો: જેઠે ભાભીને ઈંટ મારી, ગડદાપાટુનો માર કર્યો
આપ નેતા ઈસુદાન ગઢવીએ કર્યા પ્રહારો – સી.આર પાટીલના નિવેદન પર પલટવાર
સચિન તેંડુલકરે પોતાનો સ્પોર્ટ્સ બ્રાન્ડ ‘ટેન એક્સ યુ’ લોન્ચ કર્યો
પાકિસ્તાનમાં ગાઝા પીસ પ્લાનના સમર્થનમાં હિંસક પ્રદર્શન: 2ના મોત,US દૂતાવાસ તરફ કૂચ કરવાનો પ્રયાસ

About US

NIRBHAY MARG NEWS એ NIRBHAY MARG NEWS BROADCAST PVT.LTD. દ્રારા ચાલતી ગુજરાતના ખૂણે ખૂણાના પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે,ગુજરાતના તમામ જીલ્લા,તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં બનતી ઘટનાઓના પળે-પળ ના સમાચાર દર્શકમિત્રો સુધી પહોંચાડે છે.નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલનો મુખ્ય ઉદ્દેશ પ્રજાની સમસ્યાઓને નિર્ભય,નિષ્પક્ષ અને સચોટ રીતે તાર્દશ કરવાનો છે.નિર્ભયમાર્ગ ચેનલના માધ્યમથી રાજકારણ,ભકિત-રસ,પોલીસ અને ક્રાઈમ, સાહિત્ય,ખેલ-જગત, મનોરંજન, કૃષિ-જગત,તથા ગુજરાતની ધરોહરને અંકીત કરતા ઐતિહાસિક સ્થળોના એક્સક્લ્યુઝીવ સ્પેશિયલ એપિસોડ સાથે આપની સાથે જાેડાઈ રહેવા પ્રયત્નો કરીએ છીએ.આ ઉપરાંત નિર્ભયમાર્ગ ન્યૂઝએ કોઈ એક ધર્મ કે સંપ્રદાયને મહત્વ આપતી નથી.સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માંડીને મહત્વની જાણકારી પ્રજા સુધી પહોંચાડવા અમે હંમેશા કાર્યરત રહીએ છીએ. 

નિર્ભય, નિષ્પક્ષ અને સચોટ સમાચાર

Contact US

Youtube Twitter Instagram Facebook

NIRBHAY MARG NEWS BROADCAST PVT. LTD.

  • 5-6, Galaxy Hub, Second Floor, Kamana Cross Road, Visnagar, Dist. Mehsana. Pin - 384315 [Gujarat)
  • +91 99099 78940
  • [email protected]

© 2025 નિર્ભય માર્ગ ન્યૂઝ | સર્વ હક્ક સુરક્ષિત લાઇવ અપડેટ્સ અને તાજા સમાચાર માટે જોડાયેલા રહો Developed by Web Orbit Hosting

About US

લાઇવ અપડેટ્સ, તાજા સમાચાર અને વિશ્વસનીય માહિતી માટે જોડાયેલા રહો નિર્ભય માર્ગ ન્યૂઝ સાથે. ગુજરાતના દરેક ખૂણેથી — રાજકારણ, વ્યવસાય, ટેક્નોલોજી, મનોરંજન, રમતગમત અને સમાજના તમામ ક્ષેત્રની લેટેસ્ટ ન્યૂઝ અને અપડેટ્સ અમે આપીએ છીએ. નિર્ભય માર્ગ ન્યૂઝ – સત્યની સાથે, દરેક સમાચાર પહેલા.

Subscribe US

લાઇવ અપડેટ્સ, તાજા સમાચાર અને વિશેષ રિપોર્ટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.
તમારા ઇમેઇલ દ્વારા ન્યૂઝ નોટિફિકેશન મેળવો અને **નિર્ભય માર્ગ ન્યૂઝ** સાથે હંમેશા માહિતીમાં આગળ રહો.

હવે સબ્સ્ક્રાઇબ કરો — સત્ય અને સમાચારના દરેક પગલા સાથે!

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?