Tharad: ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના દસથી સિત્તેર વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે, જે અંતર્ગત ગતરોજ તારીખ- ૦૮/૧૧/૨૦૨૩ ને બુધવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે માન.સાંસદ બનાસકાંઠા અને થરાદ એપીએમસી ચેરમેન પરબતભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા સેક્રેટરી બી.એમ. પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર ચાર મૃતકના વાલી વારસોને રૂપિયા એક- એક લાખના ચાર ચેક આપવામાં આવ્યા હતા, જેમાં રબારી રતનાભાઈ દેવજીભાઈ રહે- રાંણેસરી, રબારી દેવાભાઈ વેરસીભાઈ રહે- નાનામેસરા, રબારી ભરતભાઈ નાગજીભાઈ રહે- નાનામેસરાવાળાઓને એક- એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
- Advertisement -
Editor:- Police Public Press, Crime Times Newspaper