સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણના સંતો સાથે નહીં બેસે, લખનઉમાં સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને બરતરફ કરાયા
સાળંગપુર મંદિરના ભીત ચિત્રોનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. ત્યારે આજે અમદાવાદના સાણંદ હાઇવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં હતા.જેમાં હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ ઠાલ્વ્યો છે.આ બાબતે સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગા થઈ આગળની રણનિતિ ઘડશે.

આજની સાધુ-સંતોની બેઠકમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ આજે કેટલાંક ર્નિણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોએ બહિષ્કાર કર્યો છે. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિમાં બેઠક મળી છે. તેમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીની હકાલ પટ્ટી કરી દેવામાં આવી છે.
નૌતમ સ્વામીને તમામ હોદ્દા પરથી હટાવાયા : ડો. જ્યોતિરનાથ મહારાજ
- Advertisement -
ડો. જ્યોતિરનાથ મહારાજે જણાવ્યું હતું કે, આજે દરેક સંતો-સાધુઓ મળ્યા છે અને એક થયા છે. આજે અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક લખનઉમાં મળી હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને હટાવી દેવામાં આવ્યા છે.સાળંગપુરમાં જે વિરોધ થયો છે જેને અમે બિરદાવીએ છીએ. હવે સંતો કોઈ પણ ભોગે લડવા માટે તૈયાર છે.
આજે આ ઠરાવો પર મહોર લાગી
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ દોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાન દાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાનો અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઇ અને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે.
ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી થાય તેવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
- Advertisement -
સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતો આજથી સ્વામિનારાયણ મંદિરનો બહિષ્કાર કરી, સંતોને આવકારીશું નહીં અને તેમના આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ નહીં.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે.
સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
- Advertisement -
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓના નામ લેવા નહીં.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રો જેવા કે ભગવતગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય તે ભાગને કાયમી દૂર કરવામાં આવે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓ સહજાનંદ સ્વામીને સર્વોપરી હતા, તેથી ભીંતચિત્રો અને ઔદિચ્ય ભંગને તાત્કાલિક હમેશાં માટે દૂર કરવા.
સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેઓના તાત્કાલિક રાજીનામાં લેવા.
સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોએ સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન ભૂસી અને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજાે કરેલો હોય તે જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી
આ મિટીંગમાં સાધુ-સંતો હાજર રહ્યા
મહામંડલેશ્વરમા વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણ નંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઠ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાશિક.
Source : Divya Bhaskar News