ગઠબંધન “INDIA ” સનાતનનો નાશ કરવા અને તેને 1000 વર્ષ સુધી ગુલામીમાં ધકેલી દેવા માંગે છે : પીએમ મોદી
સનાતન વિવાદ પર પીએમ મોદી પહેલીવાર બોલ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્યપ્રદેશના બીનાથી વિપક્ષી ગઠબંધન INDIA પર મોટો શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA સનાતન ધર્મને નષ્ટ કરવા માંગે છે. ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવા માંગે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતની આસ્થા પર હુમલો કરવાની વિપક્ષી ગઠબંધન INDIA ની રણનીતિ છે. તેમણે કહ્યું કે આ લોકો સનાતન પરંપરાને ખતમ કરવા માંગે છે. તેઓ સનાતનનો નાશ કરવા અને તેને ૧૦૦૦ વર્ષ સુધી ગુલામીમાં ધકેલી દેવા માંગે છે. પરંતુ તેમની યોજનાઓને એકતાથી નિષ્ફળ બનાવવી પડશે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન INDIA નો નેતા નક્કી થયો નથી. તેમના નેતૃત્વ અંગે મૂંઝવણ છે. લોકો આ જાેડાણને અહંકારી ગઠબંધન પણ કહે છે.
આ ઘમંડી ગઠબંધનની નીતિ અને વ્યૂહરચના ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની છે. આ જાેડાણે ભારતીયોની આસ્થા પર હુમલો કરવાનું નક્કી કર્યું છે. આ ઘમંડી ગઠબંધનનો ઈરાદો ભારતના વિચારો અને મૂલ્યોને નષ્ટ કરવાનો છે. તેમણે કહ્યું કે આ ‘અહંકારી જાેડાણ’ સનાતન કર્મકાંડો અને પરંપરાઓને સમાપ્ત કરવાના સંકલ્પ સાથે આવ્યા છે. જે સનાતનમાં ગાંધીજી આજીવન માનતા હતા, તે સનાતન જેણે તેમને અસ્પૃશ્યતા સામે આંદોલન ચલાવવાની પ્રેરણા આપી હતી. આ ઘમંડી ગઠબંધનના લોકો એ શાશ્વત પરંપરાનો અંત લાવવા માંગે છે.