| |

BANASKANTHA : પાલનપુરમાં બુટલેગરે સગીરને માર મારી હત્યા કરી હોવાનો આક્ષેપ

સગીરનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ

બનાસકાંઠાના પાલનપુરમાં ૧૬ વર્ષીય સગીરના મોત મામલે હત્યાનો આરોપ લાગતા હડકંપ મચ્યો છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે મૃતદેહ મળ્યો છે. બુટલેગર અને તેના બે પુત્રોએ સગીરને માર મારી હત્યા કરી હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે.

ઘટનાની વાત કરીએ તો ગઇકાલે રાત્રે બુટલેગર અને તેના પુત્રોએ મૃતક સગીરને માર માર્યા બાદ તે ગુમ થયો હતો. બાદમાં વહેલી સવારે તેનો મૃતદેહ મળ્યો છે. આ સાથે બુટલેગરનો વિસ્તારમાં આતંક હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.

સગીરનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છે. અને પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.