સાબરકાંઠાના ખેડબ્રહ્માના આધેડ વેપારીનું મોત, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કાપડના વેપારી બે દિવસ પહેલા ગુમ થયેલા હતા, જોકે બે દિવસ પછી શનિવારના રોજ બપોરે ઇડરના રાણી તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

ઇડર પોલીસે લાશનો કબજો મેળવી લાશનું પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી, સમગ્ર ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ખેડબ્રહ્માની ભક્તિનગર સોસાયટીમાં રહેતા જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિ સ્ટેશન રોડ પર જગુભાઈ રાવજીભાઈની રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે તેમના પુત્ર દશરથભાઈ જગુભાઈ પ્રજાપતિ ૨૫/૦૧/૨૦૨૩ના રોજ સવારે તેમના વતન પાલી જિલ્લાના જેતારણ તાલુકાના ઠાકરવાસ ગામે ગયા હતા.

સાંજે આઠેક વાગ્યા તેમના પિતરાઈ ભાઈના માધ્યમથી ખબર પડી હતી કે જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિ બપોરે ત્રણેક વાગ્યાના સમારે કોઈને કહ્યા વગર ઘરે ઘરેથી જતા રહ્યા અને ઘરના બધાએ શોધ ખોળ કરતા મળી આવ્યા નથી જેથી દશરથભાઈ એ ખેડબ્રહ્મા આવ્યા અને આજુબાજુના તપાસ કરી હતી.

ત્યારબાદ ખેતમાં પોલીસ સ્ટેશનમાં પિતાના ગુમ થયેલાની અંગે ફરિયાદ આપી બે દિવસથી પરિવાર ચિંતામાં ગરકાવ હતો અને શનિવારે બપોરે ઇડરના રાણી તળાવમાંથી એક ઉંમર લાયક વ્યક્તિની અજાણી લાશ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં 25 તારીખથી ખેડબ્રહ્મામાંથી ગુમ થયેલ જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિની લાશ હોવાથી ઓળખ થઈ હતી.

પરિવારને જાણ કરીને પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, મૃતકના પુત્ર દશરથભાઈને પુત્રીના 21 જાન્યુઆરી લગન લીધેલા હતા અને ઘરના મોભીની અચાનક વિદાયથી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને વેપારીની શંકાસ્પદ હાલમાં લાશ મળી આવતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

અહેવાલ : મોહન જોષી, હડાદ

Related Post

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED