- ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યો દ્વારા કલેક્ટરને આવેદન અપાયું
- વહેલીતકે નિરાકરણ નહીં આવે તો એસોસિએશનની હડતાળની ચીમકી
ભરૂચ જિલ્લાની કંપનીઓમાં ટ્રાવેલ્સની લકઝરી બસો શિફ્ટવાઇસ ફરે છે. શેરપુરા નજીક બસની અડફેટે એક વ્યક્તિના મોત બાદ બે એ.સી. બસો ટોળાએ સળગાવી દેવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને ગુરૂવારે તંત્રને આવેદનપત્ર પાઠવી 7 દિવસમાં કાયદાકીય પગલાં ભરવા રજુઆત કરી છે. જો તેમ નહિ કરવામાં આવે તો ઔદ્યોગિક એકમોમાં લકઝરી બસો નહિ મોકલી અચોક્કસ મુદતની હડતાલ પડવાની ચીમકી આપવામાં આવી છે.