ધંધુકાના કિશન ભરવાડની હત્યા મામલે સાણંદમાં આવેદનપત્ર અપાયું

0
121

સાણંદમાં કિશન ભરવાડની હત્યાની ઘટના મામલે આવેદનપત્ર અપાયું

ધંધુકામાં થયેલ હત્યાને લઈને સાણંદમાં પણ પડઘા પડ્યા છે તે મામલે 29 જાન્યુઆરી ને શનિવાર ના રોજ બપોરે 2 વાગે સાણંદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે સમગ્ર હિન્દૂ જાગૃત નાગરિકો એકઠા થયા હતા આ જાગૃત નાગરિકોએ કિશન ભરવાડની ક્રૂર હત્યા થઈ છે એ મામલે માલધારી સમાજ,વિશ્વ હિન્દુ પરિષદ,હિન્દૂ જાગરણ મંચ ના જાગૃત યુવાનો એ કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ જય શ્રી રામ ના નારા લગાવી મૌન ધારણ કરીને શાંતિપૂર્ણ રીતે બાઈક રેલી નિકળી હતી આ બાએકરેલીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદાર સાહેબને વિશ્વ હિન્દુ પરિષદ,હિન્દૂ જાગરણ મંચ,માલધારી સમાજ,દલિત સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારવાદ વાતચીત કરતા આગામી સમયમાં જો સરકાર આરોપી સામે કડક પગલાં નહિ લે તો આંદોલનની ચીમકી આપી હતી

રિપોર્ટર:-ચિરાગ પટેલ(સાણંદ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here