દુબઈ એક્સ્પો ખાતે કેન્દ્રિય મંત્રી રણવીર સિંહ અને અનુરાગ ઠાકુરે ડાન્સ કર્યો

0
122
Ranveer Singh & Anurag Thakur Viral Image

અત્યારે સંયુક્ત રાષ્ટ્ર અમીરાતની રાષ્ટ્રીય રાજધાની દુબઈ ખાતે ‘દુબઈ એક્સ્પો ૨૦૨૦’ ચાલી રહ્યો છે. દુબઈ ખાતે તેમની મુલાકાતના ત્રીજા દિવસે ભારતના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે બોલીવુડના જાણીતા અભિનેતા રણવીર સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી. અમે તમને જણાવી દઈએ કે ‘દુબઈ એક્સ્પો ૨૦૨૦’ના ‘ઈન્ડિયા પેવેલિયન’ ખાતે ‘ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગની વૈશ્વિક પહોંચ’ પર અનુરાગ ઠાકુર અને રણવીર સિંહે ખાસ વાતચીત કરી હતી. ”દુબઈમાં રહેતા ભારતીય લોકો ભારતના વાસ્તવિક બ્રાન્ડ એમ્બેસેડર છે. ઈન્ડિયા પેવેલિયન ૧.૭ મિલિયન મુલાકાતીઓ સાથે ભારે ભીડ ખેંચનારી ઈવેન્ટ બની રહી છે.” મંત્રી અનુરાગ ઠાકુરે આગળ ઉમેર્યું હતું કે ”આજે ભારત દેશ તેની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને આ ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થઈ રહી છે.”

ભારતના સોફ્ટ પાવર પ્રોજેક્શનમાં ફિલ્મોના યોગદાનને સ્વીકારતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે, ”ભારત એ વાર્તા કહેવાની ભૂમિ છે અને ફિલ્મ ઉદ્યોગે વિદેશી દેશોના લોકો પર મોટી અસર છોડી છે. આજે વિદેશીઓ આપણી મહાન ફિલ્મો માટે ભારતને ઓળખે છે.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભારતને વિશ્વનો વિષયવસ્તુ ઉપખંડ બનાવવાનો છે. આ ભારતમાં લાખો નોકરીઓ પેદા કરી શકે છે અને સમગ્ર વિશ્વ માટે માહિતી અને સામગ્રી બનાવવામાં મદદ કરી શકે છે. અનુરાગ ઠાકુરે રણવીર સિંહની બેમિસાલ ઍક્ટિંગનું ઉદાહરણ આપતા કહ્યું કે રણવીર સિંહ થકી આજે ભારતીય સિનેમાની ઓળખ વધુ મજબૂત બની છે.” રણવીર સિંહે કહ્યું કે, ભારતીય સામગ્રી વિશ્વ મંચ પર તેની હાજરીનો અહેસાસ કરાવવાના ઉંબરે છે. તેણે ઉમેર્યું હતું કે ભારતીય મનોરંજન વૈશ્વિક સ્તરે વિસ્ફોટ કરશે. અમારી વાર્તાઓ લોકોના મન પર ઊંડો પડઘો પાડે છે અને સાંસ્કૃતિક સીમાઓને પાર કરે છે.

વિદેશમાં ભારતીયો ફિલ્મો દ્વારા લોકો ભારત સાથે જાેડાય છે. કેન્દ્રીય મંત્રીએ રણવીર સિંહ સાથે દુબઈ એક્સ્પો ૨૦૨૦માં ઈન્ડિયા પેવેલિયનની મુલાકાત લીધી હતી. આજે દિવસની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીએ દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સ માર્કેટિંગના સીઈઓ ઈસામ કાઝીમ સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી. ત્યારે અનુરાગ ઠાકુરે ટિપ્પણી કરી હતી કે, ભારતીયોએ આ કોરોના મહામારીના વર્ષો દરમિયાન લંડન જેવી પશ્ચિમી રાજધાનીઓ કરતાં દુબઈ ફરવા જવાનું વધુ પસંદ કર્યું છે. ઈસામ કાઝિમે ઉલ્લેખ કર્યો હતો કે એક કેન્દ્રીત લક્ષ્ય સાથે નિર્ણાયક નેતૃત્વને કારણે દુબઈની સફળતા શક્ય બની છે. માર્ચ ૨૦૨૦માં જ્યારે શહેરને બંધ કરવામાં આવ્યું, ત્યારે તેણે દુબઈ ઓથોરિટીની વ્યૂહરચના વિશે વાત કરી. સત્તાવાળાઓએ સંપૂર્ણપણે નવી વ્યૂહરચના અપનાવી અને નિયંત્રણો અને પ્રોટોકોલની ખાતરી કરી. પ્રવાસીઓ માટે રસીકરણ અને પીસીઆર પરીક્ષણો ફરજિયાત બનાવવામાં આવ્યા હતા અને દુબઈ એ પ્રથમ શહેર હતું જે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું.

કાઝિમે આગળ ઉલ્લેખ કર્યો હતો કે દુબઈ એ ૨૦૨૫ સુધીમાં ૨૫ મિલિયન પ્રવાસીઓ લાવવા અને વિશ્વનું સૌથી વધુ મુલાકાત લેવાતું શહેર બનવાનું લક્ષ્ય રાખ્યું છે. આ શહેર માર્કેટિંગ દુબઈ જેવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી કરીને લોકોને આવવામાં આરામદાયક લાગે, વ્યવસાય સ્થાપવામાં સરળતા રહે, દુબઈને રહેવા માટે શ્રેષ્ઠ શહેર તરીકે પ્રમોટ કરવું, હ્લડ્ઢૈંને પ્રોત્સાહન આપવું, ટેક કંપનીઓને આમંત્રણ આપવું, અમીરાત એરલાઈન્સ દ્વારા કનેક્ટિવિટી બહેતર કરવી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે દુબઈ ક્રિપ્ટોકરન્સીની જગ્યા પણ શોધી રહ્યું છે, જાે કે તે અત્યારે જાેખમી અને અનિયંત્રિત છે. રણવીર સિંહે આ દુબઈ એક્સ્પો ૨૦૨૦માં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે સ્ટેજ પર શાનદાર ડાન્સ કર્યો હતો. જે વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. રણવીર સિંહે તેના સુપ્રસિદ્ધ ગીત ‘મલ્હારી’ પર અનુરાગ ઠાકુર સાથે ફાયર પરફોર્મન્સ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here