જાંદલા પુલ પાસેથી યુવકની લાશ મળી આવતાં ચકચાર

થરાદ : જાંદલા પુલ પાસેથી યુવકની લાશ મળી આવતાં ચકચાર

થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ દિનપ્રતિદિન મોતની કેનાલ સાબિત થઈ રહી છે, જોકે દિનપ્રતિદિન કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલવાની ઘટના અવારનવાર બનતી હોઈ કાળનો કોળિયો બનતી કેનાલથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હોવાથી આજરોજ કેનાલમાં ઝંપલાવવાની ઘટના સામે આવી છે, ત્યારે મુખ્ય નર્મદા કેનાલમાં જાંદલાના પુલ પાસેથી એક યુવકની લાશ બહાર કઢાઈ હતી. મૃતક યુવકે કોઈ કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી હોવાની થરાદ નગરપાલિકાના તરવૈયાઓને જાણ કરાતા તરવૈયા સુલતાન મીર સહિત સમગ્ર ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરતા યુવકની લાશ મળી આવી હતી, યુવકની ઓળખવિધી કરતા મૃતક યુવક પારસભાઈ મેરૂજી ઠાકોર ઉંમર વર્ષ આશરે ૧૮, રહેણાંક-ડેલ, તાલુકો થરાદવાળો પરણિત હોવાનું જાણવા મળતા પરિવારજનો પર દુ:ખનું આભ તૂટી પડ્યું હતું.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

Leave a Comment

Related Post

ગુજરાતના ખૂણે ખૂણેના સમાચાર જોવા અમારી ચેનલને આજે જ સબક્રાઇબ્સ કરો
May 2023
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED

Reg. Office :-

Navagamthan,

At-Po-Kansa,

Ta-Visnagar,Dist-Mahesana

Gujarat,India

PIN – 384315

+91 99099 78940

Co. Office :-

5.6 Galaxy Hub Market,

Near Kamana Cross Road,

Visnagar,Dist-Mahesana

Gujarat,India

PIN – 384315

+91 99099 78940

Ahmedabad Office :-

A 601 Ganesh plaza,

Near Navrangpura Post Office,

Navrangpura,

Ahmedabad

PIN – 380009

+91 8511301010