ઈમરાન ખાને પાકિસ્તાનના ૩ ટુકડા થવાની ભીતિ વ્યક્ત કરી

રાજકીય સંકટ વચ્ચે ઈમરાન ખાનનો એક નવો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. પાકિસ્તાનની ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાનખાને ૩૦ મિનિટની અંદર સાત વખત ભારતનું નામ લીધું અને દરેક વખતે ભારતના વખાણ કર્યા. ઈમરાને પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ જવાનો પણ ભય વ્યક્ત કર્યો હતો. ઈમરાનખાને ભારતની વિદેશનીતિ, ભારતના પાસપોર્ટ અને વિઝા સહીત પાકિસ્તાનના વિરોધપક્ષની વાતો કરી હતી. પણ ઈમરાનખાને તેના ઈન્ટરવ્યુમાં ભારત વિશે શું કહ્યું તે જાણીએ ? ભારત આપણાથી આગળ ઃ ઈમરાનખાને ઈન્ટરવ્યુમાં પોતાના દેશની સ્થિતિ જણાવી. જૂના વડાપ્રધાનોની ટીકા કરી અને પછી પ્રગતિ માટે ભારતનો દાખલો બેસાડ્યો. તેમણે કહ્યું, ‘હિંદુસ્તાન આપણી સાથે આઝાદ થયું, પરંતુ આજે તે આપણાથી ઘણું આગળ નીકળી ગયું છે. આપણે ત્યા લાંચ, ભ્રષ્ટાચાર, નેતાઓ દ્વારા કરાતી અનેક પ્રકારની ગેરરીતિ આખા દેશને બરબાદ કરી દીધો છે.

ભારતમાં મુસ્લિમોએ પાકિસ્તાન માટે વોટ આપ્યાઃ ઈમરાને કહ્યું, ‘હું પાકિસ્તાનના વિઝન માટે રાજકારણમાં આવ્યો છું. પરંતુ આ લોકોને (વિરોધીઓને) પાકિસ્તાનની પરવા નથી. ભારતના મુસ્લિમોએ અલગ દેશ પાકિસ્તાન માટે મત આપ્યો. તેમની વિચારસરણી પ્રતિભાશાળી હતી. તેમનુ એક સ્વપ્ન હતું. તેમણે વિચાર્યું કે મુસ્લિમોનો એવો દેશ બનાવીશું જે આખી દુનિયા માટે એક ઉદાહરણ બની જશે. પ્રામાણિક દેશ હોય. જ્યાં બધાને સમાન ન્યાય મળશે. લોકોને તેમનો હક્ક મળશે. સુરક્ષા મળશે. પણ આ ડાકુઓએ આપણને દુનિયામાં નામોશી અપાવી છે. તમે જુઓપ આપણા વિઝાનું શું મહત્વ છે અને પાડોશી દેશ ભારતના વિઝા વિશે વિશ્વ શું વિચારે છે? ભારતીય વિદેશ નીતિની પ્રશંસાઃ ઈમરાને કહ્યું, ‘હિન્દુસ્તાનપ આપણી સાથે સ્વતંત્ર હતું. જરા તેમની વિદેશ નીતિ જુઓ. જ્યારે સોવિયેત યુનિયનનું શીત યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તે બિનજાેડાણવાદી હતો.

તેઓ સોવિયેત યુનિયન તેમજ અમેરિકા સાથે વાત કરી રહ્યા હતા. ભારતે અમેરિકાને ખુલ્લેઆમ કહ્યું હતું કે સોવિયત સંઘ સાથે પણ અમારા સંબંધો છે અને તમારી સાથે પણ અમારા સારા સંબંધો છે. ભારતની વિદેશ નીતિના કારણે આજે જુઓ કે ભારતના પાસપોર્ટનું શું સન્માન છે અને પાકિસ્તાનના પાસપોર્ટનું શું સન્માન રહ્યું છે? મને ધમકી આપે છે, ભારતને ધમકી આપવાની હિંમત નથીઃ પાકિસ્તાનના કેરટેકર પીએમએ કહ્યું, ‘મને ધમકી આપવામાં આવી હતી. તેમણે (અમેરિકા) કહ્યું- જાે ઈમરાન ખાન આ અવિશ્વાસ પ્રસ્તાવ જીતી જાય છે, તો દેશને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. યુરોપિયન યુનિયન અને અન્ય દેશોથી અલગ થવાનો પણ ખતરો હતો. પરંતુ જાે ઈમરાનખાન હારી જશે તો અમે પાકિસ્તાનને માફ કરીશું. શું કોઈ ભારત માટે આવી ધમકી આપવાનું વિચારી શકે ? નાપ પરંતુ અમારા લોકોએ (નેતાઓએ) અમને એટલા બધા નીચા કરી દીધો છે કે લોકો અમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. ઈમરાનને ડર છે કે પાકિસ્તાનના ત્રણ ટુકડા થઈ શકે છેઃ

ઈમરાનખાને પોતાના ઈન્ટરવ્યુમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું, ‘હું સ્વતંત્ર વિદેશ નીતિ બનાવી રહ્યો છું. લોકો તેની સામે ષડયંત્ર રચી રહ્યા છે. બધા મુસ્લિમ દેશોને જુઓ. દરેક દેશ જેની પાસે મજબૂત સૈન્ય હતું તે નબળું પડી ગયું હતું. ઈરાક, ઈરાન, સીરિયા, લિબિયા, સોમાલિયાપ જેમની પણ સ્વતંત્ર વિદેશ નીતિ હતી. તેઓ બરબાદ થઈ ગયા. હવે આ તે છે જે તે અમારી સાથે કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જાે આપણી પાસે મજબૂત સેના નથી, તો આ દુશ્મનો દેશના ત્રણ ટુકડા કરી શકે છે. એટલા માટે હું, ગમે તે થાય છતા, ક્યારેય મારી સેના વિરુદ્ધ બોલીશ નહીં.

Leave a Comment

Related Post

ગુજરાતના ખૂણે ખૂણેના સમાચાર જોવા અમારી ચેનલને આજે જ સબક્રાઇબ્સ કરો
May 2023
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

NIRBHAY MARG NEWS BROADCAST PRIVATE LIMITED

Reg. Office :-

Navagamthan,

At-Po-Kansa,

Ta-Visnagar,Dist-Mahesana

Gujarat,India

PIN – 384315

+91 99099 78940

Co. Office :-

5.6 Galaxy Hub Market,

Near Kamana Cross Road,

Visnagar,Dist-Mahesana

Gujarat,India

PIN – 384315

+91 99099 78940

Ahmedabad Office :-

A 601 Ganesh plaza,

Near Navrangpura Post Office,

Navrangpura,

Ahmedabad

PIN – 380009

+91 8511301010