અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને ચાંદખેડામાં નોકરી કરતા આધેડનું શેરબજારમાં પૈસાની લેતીદેતીમાં ત્રણ વ્યક્તિઓએ અપહરણ કરી ગાંધીનગર પાસે લઇ જઇ માર માર્યો
ન્યુ રાણીપ આશ્રય ૯ ફ્લેટમાં રહેતા અને ચાંદખેડામાં નોકરી કરતા હસમુખભાઈ પટેલને માર્કેટિંગ કામ બાબતે તલોદના ધવલ નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી અને શ્રીનગરના વૈભવ ગોસ્વામી જે શેરબજારનું કામકાજ કરે છે તેની સાથે ઓળખાણ થઈ હતી. તેના મારફતે ગાંધીનગરના ગિરિરાજ સિંહ વાઘેલા અને તલોદના મહેશ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. જેની સાથે શેરબજારના વ્યવહારો થતા હતા. તકલીફ પડતા હસમુખભાઈએ એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું અને ગિરિરાજ સિંહ વાઘેલાને રૂપિયા ૧૧ લાખ આપવાના નીકળતા હતા. પાંચેક દિવસ પહેલા મહેશ પટેલે હસમુખભાઈ પટેલને ફોન કરી અને ચાંદખેડા માનસરોવર રોડ પર આવવા કહ્યું હતું. જેથી હસમુખભાઈ ત્યાં પહોંચ્યા હતા, જ્યાં કાળા કલરની નંબર પ્લેટ વગરની એક કાર આવી હતી. જેમાંથી ત્રણ શખ્સો ઉતર્યા હતા. મહેશ પટેલ અને ગિરિરાજ સિંહ વાઘેલાએ પોતાની ઓળખાણ આપી અને રૂ. ૧૧ લાખની બાબતે વાતચીત કરી અને ગાળાગાળી કરી હતી.
જાેકે ત્યાં ઊભેલા ત્રણેય સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓને વચ્ચે પડશો નહિ કહી અને હસમુખભાઈને ગાડીમાં બેસાડી ગાંધીનગર સરગાસણ રોડ ઉપર અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં માર મારી અને ‘તારે પૈસા આપવા પડશે’ એમ કહી હસમુખભાઈ પાસે રહેલા કેટલાક ચેક પણ લઈ લીધા હતા. તારે ગમે તે ભોગે આજે પૈસા આપવા પડશે નહીં તો જવા નહી દઉં એમ કહી અને પત્નીને ફોન કરવા કહ્યું હતું. હસમુખભાઈએ તેમની પત્નીને ફોન કરી અને કહ્યું હતું કે ‘હું આજે ઘરે પાછો નહિ આવું. તે દરમિયાનમાં હસમુખ ભાઈના ઘરે તેમના મિત્રો આવ્યા હતા અને તેમના અપહરણનો વિડીયો પત્નીને બતાવ્યો હતો. જેથી તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમનું અપહરણ થયું છે. અપહરણકર્તાઓને તેમને ધમકી આપી હતી કે ‘જાે મારા પતિ આજે ઘરે નહીં આવે તો હું ઉપરથી નીચે પડી આત્મહત્યા કરી લઈશ અને તમારું નામ લખાવી દઈશ. જેથી ગભરાયેલા ગિરિરાજસિંહ અને મહેશ પટેલે હસમુખભાઈને છોડી મુક્યા હતા. આ ઘટના બાદ ગીરીરાજસિંહે ફરી ધમકી આપતા હસમુખભાઈની પત્નીની તબિયત ખરાબ થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.રજા બાદ હસમુખભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને ચાંદખેડામાં નોકરી કરતા આધેડનું શેરબજારમાં પૈસાની લેતીદેતીમાં ત્રણ વ્યક્તિઓએ અપહરણ કરી ગાંધીનગર પાસે લઇ જઇ માર માર્યો હતો. તેને માર મારી અને તેની પાસેથી ચારથી પાંચ જેટલા ચેક સહી કરાવી લીધા હતા. બાદમાં તેને પૈસા નહીં આપે ત્યાં સુધી ઘરે નહીં જવા દઉં એમ કહી ગોંધી રાખ્યો હતો. જાેકે તેની પત્નીને ફોન કરી અને જાણ કરતા પત્નીએ મારા પતિ આજે ઘરે નહીં આવે તો હું આત્મહત્યા કરી તમારું નામ લખાવી દઇશ એવી અપહરણકારોએ ધમકી આપતાં તેને છોડી મૂકયો હતો. આધેડને છોડી મૂક્યા બાદ પણ પૈસા આપી દેવા ફરી ધમકી આપી હતી અને જેના કારણે તેની પત્નીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આધેડે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.